રૂપાલાના વિવાદીત નિવેદનથી નારાજ કરણીસેનાના પ્રમુખ : પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું, લગાવ્યો ઉપેક્ષાનો આરોપ
- 30 Mar, 2024
ચુંટણી પ્રચાર હાલ પુર જોશથી ચાલી રહ્યો છે, જેમાં એક સભામાં ઉત્સાહભેર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર એક ના વિવાદીત નિવેદન આપવા બદલ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારબાદ મામલો વણસી જતાં પરિસ્થિતિ થાળે પાડવા માટે રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી હતી, પરંતુ જનતાનો આક્રોશ કઈ ઓછો થતો નથી ,ઊલટો વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે , એવામાં પરષોત્તમ રુપાલાના વિવાદિત નિવેદનને લઇને વધુ એક સભ્યની નારાજગી સામે આવી હતી ,જેમાં કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. તેમણે ભાજપ પર ક્ષત્રિયોની ઉપેક્ષોનો આરોપ લગાવ્યો છે.
કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.તેમણે પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ ભાજપ સરકારે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થઇ હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપી દીધુ છે. રાજ શેખાવતે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત સંમેલન ગણાવ્યુ અને કહ્યુ કે રૂપાલાએ માગેલી માફી અમને મંજુર નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ